વૃષભઃ આ રાશિનો સ્વામી શુક્ર છે, આથી શુક્રના સંક્રમણને કારણે વૃષભ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. સફળતાની નવી તકો મળશે. ભૌતિક સુખ અને સંપત્તિમાં વધારો થશે. વિવાહિત જીવન સુખમય રહેશે.
સિંહ: શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અટકેલા કામ પૂરા થશે. વ્યાપારીઓને તેમની ઈચ્છા મુજબ નફો મળશે અને તેમની આવકમાં વધારો થશે. આ રાશિના લોકો વિદેશ પ્રવાસ પર જઈ શકે છે.
તુલા: શુક્રના રાશિ પરિવર્તનને કારણે આ રાશિના લોકો માટે સ્થિતિ અનુકૂળ રહેશે. ઉત્તમ પરિણામો જોવા મળશે. કરિયરમાં તમને સફળતા મળશે. ભૌતિક સુખોમાં વધારો થશે. અણધાર્યા નાણાકીય લાભ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)