સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે. જે કન્યાઓના લગ્નમાં અડચણ આવી રહી છે, તેમણે સોમવારે વ્રત અને પૂજા જરૂરથી કરવી જોઈએ.
- સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત
- સોમવારે વ્રત અને પૂજા જરૂરથી કરવી જોઈએ
- ઈચ્છાપૂર્તિ માટે સોમવારે કરો આ ઉપાય
સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે. સોમવારે શિવજીની પૂજા અર્ચના કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે. જે કન્યાઓના લગ્નમાં અડચણ આવી રહી છે, તેમણે સોમવારે વ્રત અને પૂજા જરૂરથી કરવી જોઈએ. સોમવારે કેટલાક ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
- ઓફિસના કામના કારણે માનસિક પરેશાની રહે છે, તો સોમવારે સ્નાન કરીને અશોકના સાત તાજા પાન લો. હવે તે ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખો અને સૂકાઈ જાય પછી પીપળાના ઝાડ નીચે મુકી દો. સતત સાત દિવસ સુધી આ ઉપાય કરવાનો રહેશે.
- મન અશાંત હોય તો આજે જળમાં લાલ પુષ્પ નાખીને શિવલિંગ પર અર્પણ કરો અને ત્ર્યંબકમ્ મંત્રનો જાપ કરો. ‘’ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥’’
- નોકરી બાબતે પરેશાની હોય તો 108 વાર શિવજીના મંત્ર ‘ऊँ शं विश्वरूपाय अनादि अनामय शं ऊँ।।’નો જાપ કરવો અને બિલીપત્ર અર્પણ કરવા.
- હંમેશા ભય સતાવતો હોય તો શિવજીની પ્રતિમા પાસે દીવો કરો, આસન પાથરીને પશ્ચિમ દિશા તરફ મોઢુ રાખો. રૂદ્રાક્ષ અથવા ચંદનની માળાથી ‘ऊँ नमः शिवाय’ મંત્રનો જાપ કરો.
- ધન અને ધાન્યના સાધનોમાં વૃદ્ધિ કરવા માટે સ્નાન કર્યા પછી શિવ મંદિર જઈને વિધિપૂર્વક પૂજા કરો. શિવલિંગ પર જળાભિષેક કરો, પછી કંકુ ચોખા અર્પણ કરો. હવે મિઠાઈ અને ફળોનો ભોગ અર્પણ કરો. ધૂપ દીવાથી ભગવાન શિવની પૂજા કરો અને હાથ જોડીને પ્રણામ કરો.
- પ્રગતિના પંથે આગળ વધવા માંગો છો, તો પંચામૃત (દૂધ, દહીં, મધ, ગંગાજળ અને સાકર મિશ્ર કરીને) બનાવો. ભગવાન શિવને પંચામૃતનો ભોગ ધરાવીને પ્રગતિ માટે પ્રાર્થના કરો.
- પરેશાનીનું નિવારણ લાવવા માટે આજે જળ અને દૂધ મિશ્ર કરીને શિવલિંગ પર અર્પણ કરો. 11 બિલીપત્ર પર ચંદનથી ॐ લખીને શિવલિંગ પર ચઢાવો. ધૂપ દીવા કરીને શિવલિંગની પૂજા કરો.
- ભણવા બાબતે પરેશાની હોય તો સ્નાન કર્યા પછી શિવચાલીસાના પાઠ કરો અને શિવલિંગ પર ચંદનનો તિલક કરો.
- સંતાન તમારા કામમાં મદદ કરે તે માટે શિવજીને નારિયેળ અર્પણ કરો અને સૂકામેવાનો ભોગ ધરાવો.
- નિર્ણય લેવામાં વાર થઈ રહી હોય અથવા સ્મરણ શક્તિ મજબૂત કરવા માંગતા હોય તો શિવ મંદિરમાં ઈલાયચીનો ભોગ ધરાવો અને હાથ જોડીને પ્રણામ કરો.
- ઈચ્છાપૂર્તિ માટે સ્નાન કરીને દૂધ, જળ અને ચોખાના દાણા મિશ્ર કરીને સૂર્યદેવતાને અર્પણ કરો. 21 વાર સૂર્યેદેવતાનો મંત્ર ‘ऊं घृणिं सूर्य्य: आदित्य:’નો જાપ કરો અને ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરો.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.