આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચે છે કે 9 માર્ચે છે તે અંગે લોકો મૂંઝવણમાં છે. શિવરાત્રી 8 માર્ચે સાંજે શરૂ થશે અને બીજા દિવસે સાંજે 6.25 વાગ્યા સુધી રહેશે. પ્રદોષ કાળ દરમિયાન શિવરાત્રીની પૂજા કરવામાં આવે છે, તેથી 9મી માર્ચે શિવરાત્રીના પ્રદોષ કાળની પ્રાપ્તિ થઈ રહી છે.
આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે દેવઘરથી ઉજ્જૈન સુધીના મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે.
કેલેન્ડર મુજબ, મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ શિવરાત્રી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. તેથી આ દિવસે ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
આ વર્ષે શિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે શિવરાત્રીની તિથિ સાંજે 09:57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 09 માર્ચે સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થશે. એવું કહેવાય છે કે પ્રદોષ કાળમાં શિવરાત્રિ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
આ વર્ષે મહાશિવરાત્રિ પર ઘણા શુભ સંયોગો બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધી રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા. એવું પણ કહેવાય છે કે આ દિવસે શિવલિંગ 64 અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. તેથી લોકો આ દિવસે ઉપવાસ કરે છે અને પ્રદોષ કાળ દરમિયાન ભગવાન ભોલેનાથની પૂજા કરે છે.
જો તમે શિવરાત્રિ પર પ્રદોષ કાળ દરમિયાન પૂજા કરવા માંગો છો, તો પૂજાનો સમય 9 માર્ચ, 2024ના રોજ સવારે 3:34 થી 6:37 સુધીનો રહેશે.