હનુમાનદાદાને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હનુમાનદાદાનું સ્મરણ કરવા માત્રથી દુખ દુર થાય છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. હનુમાન દાદાની નિયમિત પૂજા અને તેમનો જાપ કરવાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને હનુમાન દાદા ઈચ્છા મુજબનું ફળ આપે છે. આજે અમે તમારા માટે રાશીઓ પ્રમાણે હનુમાન દાદાના મંત્રો લઈને આવ્યા છીએ. રોજ આ મંત્રોનો જાપ કરવાથી હનુમાન દાદાની કૃપા તમારા અને તમારા પરિવાર પર વરસતી રહે છે. કલિયુગમાં માત્ર એક જ દેવ અહીં પૃથ્વી પર હાજર છે અને તેમનું નામ છે હનુમાનજી. બજરંગ બલીની કૃપા મેળવવા માટે ભક્તો શનિવાર અને મંગળવારે ખાસ કરીને વિશેષ પૂજા કરતા હોય છે.
મેષ રાશિ, વૃષભ રાશિ અને મીથુન રાશિ:
મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિના જાતકોએ દરરોજે ऊं सर्वदुख हराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. આ રાશિઓના જાતકોએ આ મંત્રનો નિયમિત જાપ કરવાથી હનુમાન દાદા તેમના તમામ દુખો દુર કરે છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિ:
કર્ક રાશિ, સિંહ રાશિ, અને કન્યા રાશિના જાતકોએ દરરોજે ऊं परशौर्य विनाशन नम: મંત્રનો જાપ કરવાથી તેમની તમામ અડચણો દૂર થઈ જશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થાય છે. આ રાશિના જાતકો માટે આ મંત્રનો જાપ ખુબ ફાયદાકારક નીવડે છે. બધી જ સમસ્યાઓ અને પરેશાનીઓનો વિનાશ થાય છે.
તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને ધન રાશિ:
તુલા રાશિ, વૃશ્ચિક રાશિ, અને ધન રાશિના જાતકોએ ऊं मनोजवया नम: અને ऊं लक्ष्मणप्राणदात्रे नम: મંત્રનો જાપ કરવો, તેનાથી તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. અટકેલા કર્યો પૂર્ણ થાય છે. હનુમાન દાદાની કૃપા દ્રષ્ટિ બની રહેશે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
મકર રાશિ, કુંભ રાશિ અને ધનું રાશિ:
મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિના જાતકોએ દરરોજે ऊं सर्वग्रह विनाशी नम: મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થશે. આ સાથેજ આ રાશિના જાતકોના જીવનના તમામ દુખો હનુમાન દાદા દુર કરશે. હનુમાન દાદાની કૃપા હંમેશા વરસશે. સમગ્ર પરેશાનીઓનો નાશ થશે
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)