ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ હવે ધર્મશાલા ટેસ્ટ માટે પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે. પસંદગીકારોએ જસપ્રીત બુમરાહને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં પાછો સામેલ કર્યો છે. બુમરાહને રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો.
બુમરાહની વાપસી
જસપ્રીત બુમરાહની વાપસી સાથે ટીમમાંથી એક ખેલાડીને બહાર કરવામાં આવ્યો છે.
વોશિંગ્ટન સુંદરને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને હવે તે રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં તમિલનાડુ તરફથી રમશે. BCCIએ પણ કેએલ રાહુલ અંગે મોટી માહિતી આપી છે.
કેએલ રાહુલ થયો બહાર
BCCIએ કહ્યું કે કેએલ રાહુલ પાંચમી ટેસ્ટમાંથી પણ બહાર છે. તે હજુ ફિટ નથી. BCCIએ માહિતી આપી હતી કે હાલમાં આ ખેલાડી લંડનમાં છે અને મેડિકલ ટીમ તેની ફિટનેસ પર નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલે આ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ રમી હતી અને ત્યારબાદ તે સિરીઝની એક પણ મેચ રમી શક્યો ન હતો. કેએલ રાહુલને જાંઘમાં ઈજા થઈ છે. એવું માનવામાં આવતું હતું કે કેએલ રાહુલ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે પરંતુ આ પછી તેને બેટિંગ કરતી વખતે જાંઘમાં દુખાવો થવા લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે કે તેની જાંઘમાં સોજો હતો. આ પછી તેને લંડન મોકલવો પડ્યો.
દેવદત્ત પડિક્કલ કરશે ડેબ્યૂ?
ધર્મશાલા ટેસ્ટ માટે બુમરાહને ટીમમાં સામેલ કરવાનો અર્થ એ છે કે આ ખેલાડી પાંચમી મેચમાં રમશે. પ્લેઈંગ ઈલેવનમાં પરિવર્તન નિશ્ચિત છે. માનવામાં આવે છે કે પ્રથમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર આકાશ દીપને બહાર બેસવું પડી શકે છે. ત્રણ ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર રજત પાટીદાર ટીમમાં યથાવત છે, જો કે તે ધર્મશાળામાં રમશે તે નિશ્ચિત નથી. તેની જગ્યાએ દેવદત્ત પડિક્કલને તક આપવાની ચર્ચા ચાલી રહી છે.
ધર્મશાલા ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા:
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, કેએસ ભરત, દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.